હનુમાન દાદા નો શક્તિશાળી મંત્ર : ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય અર્થ અને ફાયદા

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. આ મંત્ર હનુમાનજીને સમર્પિત મંત્ર છે. આ મંત્રને હનુમાનજી નો પ્રિય મંત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીને શક્તિ ભક્તિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આ મંત્રના જાપથી હનુમાનજીના આશીર્વાદ અને રક્ષા મળે છે. બધા વિઘ્નો દૂર કરી સફળતા મેળવવામાં સહાયક છે.

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા મંત્રનો અર્થ

હનુમાનજીના ઘણા બધા મંત્ર છે જે તેના ભક્તો પોતાની ભક્તિ અનુસાર જાપ કરતા હોય છે પરંતુ આ ખૂબ બસ શક્તિશાળી મંત્ર છે જેના ઘણા બધા ફાયદા છે.

ૐ-નમો-હનુમતે-રુદ્રાવતારાય-સર્વશત્રુસંહારણાયસર્વરોગ-હરાય-સર્વવશીકરણાય-રામદૂતાય-સ્વાહા meaning
Om Namo Hanumate Rudravataray Sarvashatrusanharay Sarvarog Haraay Sarvavashikarunay Ramadutay Swaha mantra in gujarati

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય , સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા મંત્ર નો અર્થ

અર્થ:

  • ૐ” – આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (ત્રિમૂર્તિ) નું પ્રતીક છે. જેનું ઉચ્ચારણ દરેક મંત્રની શરૂઆતમાં કરવામાં આવે છે અને અંતમાં પણ
  • નમો – જેનો અર્થ છે “હું નમસ્કાર કરું છું” અથવા “હું વંદન કરું છું” થાય છે.
  • હનુમતે – આ હનુમાનજીનું નામ છે, જે ભગવાન રામના પરમ ભક્ત છે.
  • રુદ્રાવતારાય: આ બે શબ્દોનું સંયોજન છે: રુદ્ર અને અવતાર જે (ભગવાન શિવ) ના અવતાર
    • રુદ્ર: હિંદુ ધર્મમાં ત્રિમૂર્તિના વિનાશક દેવ, ભગવાન શિવનું બીજું નામ.
    • અવતાર: દૈવી શક્તિનો અવતાર
  • સર્વશત્રુસંહારણાય – બધા શત્રુઓના શત્રુઓના નાશ કરનાર
  • સર્વરોગ હરાય – બધા રોગોને દૂર કરનાર
  • સર્વવશીકરણાય – બધા પર વિજય મેળવનાર
  • રામદૂતાય – ભગવાન શ્રીરામના દૂત
  • સ્વાહા – આ સંકલ્પને પૂર્ણ થવા માટે

સંપૂર્ણ અર્થ:
“હે હનુમાનજી, જે રુદ્રના (શિવ ) અવતાર છે, બધા શત્રુઓના સંહારક છે, બધા રોગોને દૂર કરનાર છે, બધા પર વિજય મેળવનાર છે અને શ્રીરામના દૂત છે, તમને પ્રણામ છે।”

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાયસર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા મંત્ર જાપ કરવાના ફાયદા

ભય અને નકારાત્મકતા દૂર કરવી:

  • ૐ નમો હનુમતે રુદ્રાવતારાય મંત્ર ભગવાન હનુમાનની શક્તિ અને શૌર્યનું આહ્વાન કરે છે.
  • મંત્રનો પાઠ કરવાથી ભય, ચિંતા અને નકારાત્મક વિચારો દૂર થવામાં મદદ મળે છે.
  • આ મંત્ર આપણને આત્મવિશ્વાસ અને શક્તિ પ્રદાન કરે છે, જેનાથી આપણે જીવનમાં આવતી પડકારોનો સામનો કરી શકીએ છીએ.

શક્તિ અને આત્મવિશ્વાસ વધારવો:

  • ભગવાન હનુમાનને શક્તિ અને શૌર્યનો દેવ માનવામાં આવે છે.
  • ૐ નમો હનુમતે રુદ્રાવતારાય મંત્રનો પાઠ કરવાથી આપણને આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ મળે છે.
  • આ મંત્ર આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં હિંમત અને દ્રઢતા પ્રદાન કરે છે.

આ મંત્રનો જાપ નીચે મુજબ શકો છો:

  1. શાંત અને સ્વચ્છ જગ્યાએ બેસો.
  2. તમારી આંખો બંધ કરો અને ઊંડા શ્વાસ લો.
  3. “ૐ નમો હનુમતે રુદ્રાવતારાય” મંત્રનો ધીમે અને સ્પષ્ટ રીતે 108 વાર જાપ કરો.
  4. જો તમે 108 વાર જાપ કરી શકતા નથી, તો તમે તમારી ક્ષમતા મુજબ ઓછી સંખ્યામાં જાપ કરી શકો છો.
  5. મંત્રનો જાપ કરતી વખતે, ભગવાન હનુમાનની છબીનો વિચાર કરો અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવો.

આ મંત્રનો પાઠ કરવાથી તમને શાંતિ, સુખ અને સફળતા મળશે.

જય બજરંગબલી

Leave a Comment